(GNS),તા.22
ગાંધીનગર,
ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રાજ્યના નાગરિકોની ફરિયાદો અને સમસ્યાઓના નિરાકરણ માટે આજે રાજ્યનો ‘સ્વગત’ ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ 23 નવેમ્બરને ગુરુવારે ગાંધીનગરમાં બપોરે 3:30 કલાકે રાજ્યના ‘સ્વાગત’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને અરજદારોની રજૂઆતો સાંભળશે. આ રાજ્ય ‘સ્વાગતક’ માટેના અરજદારો આજે (ગુરુવારે) સવારે 08:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે તેમની રજૂઆતો આપી શકશે.