(રખેવાલ ન્યુઝ) પાલનપુર, પાલનપુરના ન્યુ બસપોર્ટ ખાતે ગઇકાલે ચાના કેફેમાં તોડફોડ થતાં ભયનો માહોલ સર્જાયો હતો. જેમાં 2 લોકો ઘાયલ થયા હતા. આ મામલે પોલીસે નામજોગ સહિત 14 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે, નવીનતમ અહેવાલો અનુસાર, પોલીસે 03 લોકોની અટકાયત કરી છે અને વધુ તપાસ કરી રહી છે.
ગત શનિવારે બપોરે પાલનપુરના ન્યુ બસપોર્ટના બસ સ્ટોપની અંદર આવેલા ચાના કેફેમાં કેટલાક લોકોએ લોખંડની પાઇપ, હથોડી અને તલવાર જેવા હથિયારો વડે તોડફોડ કરી હતી. અને બે લોકોને પીચફોર્ક અને કુહાડી વડે માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જો કે ઘટનાની જાણ થતા જ ડીએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તેમણે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી.
દરમિયાન, વડગામ તાલુકાના ટીંબાચુડી ગામમાં રહેતા અને નવી બસપોર્ટમાં યમસ ટી કાફે ચલાવતા દિપેશકુમાર વિરજીભાઈ ચૌધરીએ 14 લોકો સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ચા પીવા આવેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન કેફેના સંચાલકે તેમને કાફેમાં ઝઘડો ન કરવા સમજાવ્યા હતા. બાદમાં આ યુવાનોએ ભેગા મળી કાફેમાં તોડફોડ કરી હથિયારો વડે વિશાલ ઉર્ફે સચિન ચૌધરી અને જીજ્ઞેશ ચૌધરીને માર માર્યો હતો, જેઓને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પીડિત વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દરમિયાન, વડગામ તાલુકાના ટીંબાચુડી ગામમાં રહેતા અને નવી બસપોર્ટમાં યમસ ટી કાફે ચલાવતા દિપેશકુમાર વિરજીભાઈ ચૌધરીએ 14 લોકો સહિત ટોળા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ચા પીવા આવેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો. દરમિયાન કેફેના સંચાલકે તેમને કાફેમાં ઝઘડો ન કરવા સમજાવ્યા હતા. બાદમાં આ યુવાનોએ ભેગા મળી કાફેમાં તોડફોડ કરી હથિયારો વડે વિશાલ ઉર્ફે સચિન ચૌધરી અને જીજ્ઞેશ ચૌધરીને માર માર્યો હતો, જેઓને ઇજાઓ થતાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પીડિત વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.