પાલનપુર શહેરમાં દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવા છતાં સફાઇના અભાવે સર્વત્ર ગંદકી જોવા મળી રહી છે. શહેરના ગાથામણ દરવાજા વિસ્તારમાં ગટરના પાણી રોડ પર ઉભરાઈને ગંદકી ફેલાવી રહ્યા છે અને પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
પાલનપુર શહેરના ગાથામાન ગેટ ડો.મનોજ જૈનની હોસ્પિટલ નીચે રોડ પર ગંદુ પાણી વહી રહ્યું છે. ગટર અને હોસ્પિટલના ગંદા પાણીથી જમીન ભરાઈ ગઈ છે અને આ પાણી છેલ્લા 5 દિવસથી પીવાના પાણીના વાલ્વમાં જઈ રહ્યું છે. જેના કારણે દૂષિત પીવાના પાણીના કારણે મોટી બીમારીઓ ફેલાવાની સંભાવના છે. ત્યારે રોગચાળો ફેલાય તે પહેલા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
પાલનપુર શહેરના ગાથામાન ગેટ ડો.મનોજ જૈનની હોસ્પિટલ નીચે રોડ પર ગંદુ પાણી વહી રહ્યું છે. ગટર અને હોસ્પિટલના ગંદા પાણીથી જમીન ભરાઈ ગઈ છે અને આ પાણી છેલ્લા 5 દિવસથી પીવાના પાણીના વાલ્વમાં જઈ રહ્યું છે. જેના કારણે દૂષિત પીવાના પાણીના કારણે મોટી બીમારીઓ ફેલાવાની સંભાવના છે. ત્યારે રોગચાળો ફેલાય તે પહેલા પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.