ભાવનગર.
ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.વી. ઉપાધ્યાય દ્વારા નગરપાલિકાના કર્મચારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓએ અચાનક રાજીનામા ધરી દેતાં સમગ્ર ભાવનગર શહેરમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સીએસઆઈ, એસઆઈ, એસએસઆઈના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 12 લોકોએ રાજીનામા આપ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ અને અધિકારીઓએ સતત માનસિક ત્રાસને ટાંકીને કમિશનર કચેરીમાં પોતાના રાજીનામા સુપરત કર્યા છે.
ભાવનગર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લાસ્ટિક જપ્ત કરવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. જોકે મેનેજમેન્ટના માનસિક ત્રાસને કારણે કુલ 12 સરકારી કર્મચારીઓએ રાજીનામું આપી દીધું છે.
અધિકારીઓએ તેમના રાજીનામામાં ઉલ્લેખ કર્યો છે કે થોડા દિવસો પહેલા શહેરના રૂપાણી સર્કલ પાસે આરકે એન્ટરપ્રાઈઝમાંથી પકડાયેલું પ્લાસ્ટિક અધિકારીના હાથે ઝડપાયું હતું. આ કેસમાં એફઆઈઆર નોંધવાને બદલે આઈપીએસ અધિકારીના દબાણમાં કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.