બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રસ્તાઓ મોટાભાગે ડુંગરાળ અને ઢોળાવવાળા છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે. ત્યારે અંબાજી અને દાંતા વચ્ચેની ત્રિસુલીયા ખીણમાં વધુ અકસ્માતો થાય છે. અંબાજીની શીતળા માતાની ખીણ અને દાંતા રોડ પરની ત્રિસુલીયા ખીણમાં દરરોજ કાર, ટ્રક અને બસના અકસ્માતો બની રહ્યા છે. જેના કારણે અનેક લોકો જાનહાનિ પણ થાય છે. અંબાજીથી આબુ રોડ રોડ પર આજે વધુ એક અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે.
અંબાજી થી આબુ રોડ હાઈવે પર શીતળા માતા વેલી પાસે આજે અકસ્માત સર્જાયો હતો. અંબાજીથી આબુ રોડ તરફ જતી વખતે પથ્થરો ભરેલ ટ્રેક્ટર ઢાળમાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર પલટી મારીને ડુંગર સાથે અથડાયું હતું. સદ્દનસીબ વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઉપરાંત મોટી દુર્ઘટના પણ ટળી હતી. શીતળા માતા ખીણ નજીક અવારનવાર અકસ્માતો થાય છે. ત્યારે આજે તે જ સ્થળે વધુ એક અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી હતી.