રહેણાંક વિસ્તારો અને વ્યાપારી, ઔદ્યોગિક ઇમારતો સહિતના જંગલ વિસ્તારોમાં ઉનાળામાં આગ લાગે છે. તો ક્યારેક કોઈ કારણ વગર લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. ત્યારે યાત્રાધામ અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ પાસે ગત મોડી રાત્રે આગની ઘટના બની હતી.આગની ઘટનાની જાણ લોકોને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાત્રી હોવાના કારણે ફાયર બ્રિગેડના જવાનોને આગ ઓલવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે, ફાયર બ્રિગેડની ભારે જહેમત બાદ આખરે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. આગ કાબૂમાં આવ્યા બાદ આગના સ્થળ નજીક રહેતા લોકોએ રાહત અનુભવી હતી.