રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલું પવિત્ર યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. અંબાજી તીર્થસ્થાન સુધી પહોંચવાના તમામ માર્ગો મોટાભાગે ડુંગરાળ અને ઢાળવાળા છે. ડુંગરાળ અને ઢોળાવવાળા વિસ્તારને કારણે અંબાજી અને તેની આસપાસ અકસ્માતો થતા રહે છે. ત્યારે અંબાજી નજીક રાણપુર હાઇવે પર ટ્રેલરને અકસ્માત નડ્યો હતો.
અંબાજી નજીક ટ્રેલર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અંબાજી ખેડબ્રહ્મા હાઈવે પર રાણપુર નજીક વળાંક પર ટ્રેલર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. લોખંડની પાઈપ ભરેલી ટ્રક ટ્રેલર પલટી જતાં આ અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું હતું અને એક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પાઈપ ભરેલું ટ્રેલર રાજસ્થાનથી શામળાજી જઈ રહ્યું હતું. ત્યારે રાણપુર નજીક અંબાજી પાસે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી, જ્યારે મુસાફરનું મોત થયું હતું.