અંબાજી મંદિરના શિખરને સુવર્ણમય બનાવવા માટે સતત સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે. આજે 22/11/2023 ના રોજ દાંતા પરમ ડેવલપર્સ, બરોડાએ શિખર સુવર્ણમયના સંચાલન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને રૂ. 11 લાખનો ચેક અર્પણ કર્યો હતો. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ તરીકે અંબાજી વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે માતા અંબાના મંદિર સાથે કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે દરરોજ હજારો ભક્તો મા અંબાના દર્શન કરવા આવે છે અને મા અંબાના ચરણોમાં નમન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે અનેક માઇ ભક્તો પોતાની આસ્થા મુજબ માતા અંબાના મંદિરમાં દાન પણ કરે છે. જેમાં તેઓ મંદિરના શિખર માટે રોકડ અને સોનું તેમજ સોના-ચાંદીના દાગીનાનું દાન કરે છે. આજે બરોડાના એક માઇ ભક્તે અંબાજી મંદિરના શિખર માટે સોનું દાન કરવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂ. 11 લાખનો ચેક આપ્યો હતો.
અંબાજી મંદિરને આજે મંદિરના શિખર માટે સોનાનું દાન મળ્યું હતું. ગઈકાલે એક માઈ ભક્તે અંબાજી મંદિરમાં એક કિલો સોનું દાન કર્યું હતું. ત્યારે આજે 22/11/2023 ના રોજ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને પરમ ડેવલપર્સ બરોડા દ્વારા મંદિરના શિખરો માટે રૂ.11 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. મા અંબાના મંદિરને સુવર્ણમય બનાવવા માટે ઘણા માઇ ભક્તો દાન આપે છે. ગઈકાલે પણ અંબાજી મંદિરમાં 1 કિલો સોનાનું દાન આવ્યું હતું અને આજે સોનાના બદલામાં બરોડાના એક માઈ ભક્ત દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને 11 લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે.