શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા મા જગતજનનું અંબા ધામ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે મા ધામ અંબાજી ખાતે દરરોજ હજારો ભાવિકો માતાજીના દર્શન કરવા આવે છે. મા જગતજનની અંબામાં કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે. ત્યારે શક્તિપીઠ અંબાજીમાં અનેક ધાર્મિક પ્રસંગો અને તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. અંબાજીમાં બીજા અનેક નાના-મોટા મંદિરો છે. અંબાજી મંદિર પાસે માતા અજય માતાનું મંદિર પણ આવેલું છે.
વિજયની દેવી અજય માતાનું મંદિર માનસરોવર નજીક અંબાજી ખાતે આવેલું છે. આજે અજયની માતાનો જન્મદિવસ છે. બીજી તરફ આજે ભક્તોએ માતાજીના મંદિરને વિશિષ્ટ રીતે શણગાર્યું હતું. માતાજીના મંદિરે આજે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે માતાજીને 56 ભોગનો અન્નકૂટ બનાવવામાં આવ્યો હતો. માતાજીના જન્મદિન નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો અજય માતાના મંદિરે પહોંચ્યા હતા અને વિશેષ પૂજા-અર્ચના કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.