જંગલોમાં દબાણો અંગે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બેડા પાણી જંગલ વિસ્તારમાં 19 આદિવાસીઓના મકાનો પરથી દબાણો દૂર કરાયા હતા. જેમાં જંગલ વિસ્તારમાં મકાનો તોડતા 19 જેટલા આદિવાસીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસીઓએ અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આદિવાસીઓ છેલ્લા 18 કલાકથી વધુ સમયથી પોલીસ સ્ટેશન સામે બેસીને વન વિભાગ પાસે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. દબાણ તોડનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. જો કે વન વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારમાં ગ્રીન પ્રોજેકટ અંતર્ગત દબાણો સર્જાયા છે.
25/8/2023 ના રોજ અંબાજી નજીકના બેડા પાણી જંગલ વિસ્તારમાં આદિવાસી સમાજના 18 જેટલા મકાનો વન વિભાગ દ્વારા બળજબરીથી તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. ગઈકાલે 26/8/2023 ના રોજ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.
25/8/2023 ના રોજ અંબાજી નજીકના બેડા પાણી જંગલ વિસ્તારમાં આદિવાસી સમાજના 18 જેટલા મકાનો વન વિભાગ દ્વારા બળજબરીથી તોડી પાડવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર મામલો ગરમાયો હતો. ગઈકાલે 26/8/2023 ના રોજ આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં અંબાજી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો.