(GNS),24
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં એક પછી એક અકસ્માતના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. બનાસકાંઠાના અંબાજી-હડાદ રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં મુસાફરો ભરેલી બસ પલટી મારી બે ટુકડા થઈ ગયા હતા. બસ પલટી જતાં 40 જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી. અત્યાર સુધી આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બનાસકાંઠાના અંબાજી-હડાદ રોડ પર એક ગંભીર અકસ્માતના સમાચાર છે. આ ઘટનામાં મુસાફરોને લઈ જતી બસ પલટી ખાઈ ગઈ હતી અને બે ટુકડા થઈ ગયા હતા. બસ પલટી જતાં 40 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી, જેમાં બાળકો, મહિલાઓ, પુરુષો અને વૃદ્ધોને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અકસ્માતની તપાસ હાથ ધરી હતી. હજુ સુધી અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને ખાનગી કારમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. અકસ્માત સમયે પરિસ્થિતિ એટલી હ્રદયદ્રાવક હતી કે ઘાયલોને 108 પોલીસ જીપમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.