(જીએનએસ), 23
એક મોટી ઘટના સામે આવી છે. એક દુ:ખદ ઘટનામાં, અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સની પેટાકંપની લેબોરેટરીઓસ ટોરેન્ટ એસએ ડી સીવીના ફાયનાન્સ ડિરેક્ટર 38 વર્ષીય કેતન શાહનું મેક્સિકો સિટીમાં અવસાન થયું છે. TOIના અહેવાલ મુજબ કેતન શાહને સશસ્ત્ર હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. ગયા અઠવાડિયે, મેક્સિકો સિટીમાં સિમોન બોલિવર સ્ટ્રીટ પર ગોળી મારવામાં આવે તે પહેલાં તેને $10,000 (અંદાજિત રૂ. 8.3 લાખ) લૂંટવામાં આવ્યો હતો. કેતન શાહ છેલ્લા સાત વર્ષથી ટોરેન્ટ ફાર્મામાં કામ કરતો હતો. તે મે 2019 થી મેક્સિકો સિટીમાં કામ કરી રહ્યો હતો. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. આ ઘટના ત્યારે બની જ્યારે કેતન શાહ એરપોર્ટ ફોરેન એક્સચેન્જ સેન્ટરમાંથી $10,000 ઉપાડીને ઘરે પરત ફરી રહ્યા હતા. મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સ્થાનિક અધિકારીઓએ તેને તાત્કાલિક સારવાર માટે સ્થળ પરથી ખસેડ્યો હતો પરંતુ તેનું મોત થયું હતું. ઘટના દરમિયાન કેતન શાહના પિતાને પણ ઈજા થઈ હતી. જો કે હાલ તેમની હાલત સ્થિર છે. એક પિતાએ તેમની સામે દિકરામાં ધણીફૂટના ગોળીબાર જોયા હતા. ગોળીબાર કર્યા બાદ હુમલાખોરો 10 હજાર ડોલરની લૂંટ ચલાવીને ભાગી ગયા હતા. આ ઘટના ગયા અઠવાડિયે બની હતી.મેક્સિકોના સત્તાવાળાઓએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. ટોરેન્ટના સૂત્રો જણાવે છે કે તેઓ કેતન શાહના પરિવારને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે કામ કરી રહ્યા છે. મેક્સિકોમાં ભારતીય દૂતાવાસે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે “મેક્સિકો સિટીમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારવામાં આવેલા ભારતીય નાગરિકનું અત્યંત ખેદજનક અને દુ:ખદ મૃત્યુ, એમ્બેસી ગુનેગારોને પકડવા એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. વહેલી તકે ગુનેગારોને પકડો અને પીડિત પરિવારને ન્યાય અપાવો.”