અમદાવાદઃ અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. ભોંયરામાં પાર્ક કરેલા 30થી વધુ વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે ફાયર બ્રિગેડની 31 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે દૂરથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભોંયરામાં પાર્ક કરેલા 30 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આગના ધુમાડા ઉપરના માળ સુધી પહોંચ્યા હતા. જેના કારણે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આથી સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ICUમાં દાખલ 2 દર્દીઓ હાલ ખસેડી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને રાજસ્થાન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને દર્દીને કોઈ નુકસાન કે અસુવિધા ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગના કારણે ધુમાડો ફેલાઈ જવાને કારણે ફાયર ફાઈટરોને અંદર જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પંખામાંથી ધુમાડો કાઢવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી ધુમાડો બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઝોન-4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઈ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ હોસ્પિટલમાં આગને કારણે તે રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદઃ અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગી હતી. ભોંયરામાં પાર્ક કરેલા 30થી વધુ વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી ગંભીર હતી કે ફાયર બ્રિગેડની 31 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ ઉપરાંત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં રવિવારે વહેલી સવારે લગભગ 4 વાગે ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે દૂરથી આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ભોંયરામાં પાર્ક કરેલા 30 જેટલા વાહનોમાં આગ લાગી હતી. આગના ધુમાડા ઉપરના માળ સુધી પહોંચ્યા હતા. જેના કારણે ત્યાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આથી સારવાર લઈ રહેલા તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ICUમાં દાખલ 2 દર્દીઓ હાલ ખસેડી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી તેમને રાજસ્થાન હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે અને દર્દીને કોઈ નુકસાન કે અસુવિધા ન થાય તેની કાળજી લેવામાં આવી રહી છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ફાયર ફાયટરોએ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આગના કારણે ધુમાડો ફેલાઈ જવાને કારણે ફાયર ફાઈટરોને અંદર જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પંખામાંથી ધુમાડો કાઢવામાં આવી રહ્યો છે. હોસ્પિટલમાંથી ધુમાડો બહાર કાઢવાની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે ધુમાડો વધી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ ઝોન-4 ડીસીપી, ટ્રાફિક ડીસીપી, એસીપી, પાંચ પીઆઈ સહિત પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. તેમજ હોસ્પિટલમાં આગને કારણે તે રસ્તો હાલ પૂરતો બંધ કરી દેવામાં આવ્યો છે.