પશ્ચિમ રેલવેએ મુસાફરોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને અમદાવાદથી દોડતી 3 અપ-ડાઉન સમર સ્પેશિયલ ટ્રેનોના રૂટ રદ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં ઓખા-દિલ્હી સરાય રોહિલા સાપ્તાહિક વિશેષ 18 જુલાઈથી 29 ઓગસ્ટ 2023 સુધી બંધ રહેશે. જ્યારે દિલ્હી સરાય રોહિલ્લા-ઓખા સાપ્તાહિક વિશેષ ટ્રેન 19 જુલાઈથી 30 ઓગસ્ટ 2023 સુધી બંધ રહેશે.
અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ટ્રેન 17મી જુલાઈથી 28મી ઓગસ્ટ 2023 સુધી બંધ રહેશે અને દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 19મી જુલાઈથી 30મી ઑગસ્ટ 2023 સુધી રદ રહેશે. બાંદ્રા ટર્મિનસ – અજમેર સાપ્તાહિક ટ્રેન 19મી જુલાઈથી 27મી સપ્ટેમ્બર 2023 સુધી રદ રહેશે જ્યારે અજમેર-બાંદ્રા ટર્મિનસ વીકલી સ્પેશિયલ 20મી જુલાઈથી 28મી સપ્ટેમ્બર 2023 સુધી રદ રહેશે.