અમદાવાદઃ લોકસભાની ચૂંટણી 2024 આગળ છે ત્યારે ગુજરાતમાં એવી સ્થિતિ સર્જાઈ છે કે કોંગ્રેસે ઉમેદવાર શોધવા માટે દીવો લઈને નીકળવું પડ્યું છે. બીજી તરફ કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર નથી, તો બીજી તરફ એક પછી એક નેતા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે વધુ એક નેતાએ ભગવો ધારણ કર્યો છે.
- કોંગ્રેસ આઈટી સેલના વડા રોહન ગુપ્તા ભાજપમાં જોડાયા
- પિતાની બીમારીનું કારણ આપીને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
- કોંગ્રેસે પૂર્વ અમદાવાદ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો
ગઈકાલે 12 માર્ચે કોંગ્રેસે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં જે નેતાનું નામ હતું તે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા છે. આવા સંજોગોમાં ટિકિટ આપવા છતાં ચૂંટણી લડવાના બદલે નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા હોવાનું ચિત્ર ઊભું થયું છે.
ગુજરાત કોંગ્રેસના નેતા રોહન ગુપ્તા આજે ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે અમદાવાદ પૂર્વ બેઠક પરથી રોહન ગુપ્તાને ટિકિટ આપી હતી, પરંતુ રોહન ગુપ્તાએ અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. પિતાની ખરાબ તબિયતને ટાંકીને તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું હતું. રોહન ગુપ્તા રાજીનામાના 25 દિવસ બાદ ભાજપમાં જોડાયા છે.
રાહુલ ગુપ્તા આજે 11મી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. રોહન ગુપ્તાએ દિલ્હીમાં રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે અને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીની હાજરીમાં કેસરીયો પહેર્યો હતો. રોહન ગુપ્તાની સાથે કોંગ્રેસના જહાંઝેબ સિરવાલ અને પરમપાલ કૌર પણ ભાજપમાં જોડાઈ ગયા છે. રોહન ગુપ્તા કોંગ્રેસના આઈટી સેલના વડા હતા. કોંગ્રેસમાં તેમના સાથીદારો પર સતત અપમાનનો આરોપ લગાવીને તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી.
ઉલ્લેખનીય છે કે રોહન ગુપ્તાને ગત વર્ષે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા હતા. 20 જૂન 2022 ના રોજ રાષ્ટ્રીય સ્તરના પ્રવક્તા બનાવ્યા. તે અગાઉ રોહન ગુપ્તા કોંગ્રેસમાં સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ ચેરપર્સન તરીકે કામ કરી રહ્યા હતા.