અમદાવાદમાં ગોઝારી અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. જેના કારણે પાલનપુરમાં પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી છે અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ પર ચાંપતી નજર રાખી રહી છે. અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોત થયા હતા. જેના કારણે બનાસકાંઠા પોલીસ એલર્ટ થઈ ગઈ છે. પાલનપુર એરોમા સર્કલ ખાતે DYSP કૃણાલ રાઠોડ, પશ્ચિમ પોલીસ સ્ટેશનના PI આર.બી.ગોહિલ અને PSI એમ.એમ.કુરેશી અને શહેર ટ્રાફિક સહિત પશ્ચિમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં નંબર વગરના વાહનો, બ્લેક ફિલ્મને અટકાવીને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે, પછી તે વાહન ચલાવતા યુવક હોય કે વાહનના દસ્તાવેજો.