શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરનો અજીત મિલ વિસ્તાર કમર સુધી પાણીમાં ગરકાવ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ થયો છે. ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પાણી ભરાયા છે.
અમદાવાદ શહેરમાં ગત રાત્રિથી વરસાદ પડી રહ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. શહેરના અસારવા, પ્રગતિનગર, સેટેલાઈટ અને એઈસી સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. વરસાદના કારણે શિવરંજનો પુલ વરસાદી પાણીથી ભરાઈ ગયો હતો. થોડા વરસાદ બાદ પણ પાણી ભરાવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો વરસાદના કારણે સાબરમતી નદીના વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાના બનાવો બન્યા છે. શહેરના એસજી હાઈવે પર પણ મુશળધાર વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 3 દિવસ હજુ પણ વરસાદ પડશે.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરનો અજીત મિલ વિસ્તાર કમર સુધી પાણીમાં ગરકાવ છે. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં ભારે વરસાદ થયો છે. ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે અને વરસાદ વચ્ચે AMC સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. AMCના અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે. સીસીટીવી દ્વારા શહેરનું મોનીટરીંગ. સાબરમતી બેરેજના સ્તરમાં ઘટાડો થયો છે. નિયમ સ્તર જાળવવા માટે, 6 દરવાજા ખોલવામાં આવ્યા છે.
હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા નકશા મુજબ આજે 17મી સપ્ટેમ્બરે અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નર્મદા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. અન્ય વિસ્તારોમાં વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી.
અમદાવાદમાં ભારે વરસાદના કારણે શહેર પાણીમાં ડૂબી ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. અસારવા વિસ્તારમાં પૂર આવ્યું છે. AEC 4 રોડ પાસે પાણી ભરાવાથી વાહનચાલકો પરેશાન છે. વાહન ચાલકોએ વિરોધ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે દર વર્ષે આ જ સ્થિતિ રહે છે. અહીં તંત્રનું કોઈ ધ્યાન નથી. હળવા વરસાદને કારણે શિવરંજની પુલ પાસે પાણી ભરાવાથી લોકો પરેશાન, સ્થાનિક લોકોએ જણાવ્યું, દર વખતે આવી સમસ્યા થાય છે, અમદાવાદવાસીઓ વરસાદમાં પરેશાન થાય છે.