વર્ગ 3 અને 4 ના કર્મચારીઓને એકસાથે 30 ટકાનો જંગી પગાર વધારો આપવાનો નિર્ણય
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ ફિક્સ પગારના કર્મચારીઓના પ્રવર્તમાન પગારમાં 30%નો વધારો કરવાનો નિર્ણય લીધો છે, જે બાદ અમદાવાદ અને વડોદરા નગરપાલિકાના વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓની દિવાળી સારી બની છે.
અમદાવાદ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. વર્ગ 3 અને 4 ના કર્મચારીઓના પગારમાં એકસાથે 30 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બોર્ડ અને નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં દિવાળી પહેલા બોર્ડ-નિગમના કર્મચારીઓના ભથ્થામાં સાતમા પગાર પંચ મુજબ વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં ઘરનું ભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં વધારો કરવામાં આવ્યો છે.