(GNS), T.04
અમદાવાદ
હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈને ચેતવણી જાહેર કરી છે. આ વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું છે. 4ઠ્ઠી ડિસેમ્બરની બપોર સુધીમાં તે આંધ્રપ્રદેશ અને અડીને આવેલા ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે પહોંચી જશે. જે પછી તે 5 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં લેન્ડફોલ કરશે. દરમિયાન, આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં તોળાઈ રહેલા ચક્રવાત “માઈચોંગ” ને ધ્યાનમાં રાખીને, સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એમજીઆર ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનને રદ કરવામાં આવી રહી છે.
આ સિવાય દક્ષિણ મધ્ય રેલવેએ ચક્રવાતને જોતા 144 ટ્રેનો રદ કરી છે. તેમાંથી 118 ટ્રેનો લાંબા રૂટ પર છે. જ્યારે 100 SDRF જવાનો તમિલનાડુમાં તૈનાત કરવામાં આવ્યા હતા.4થી અને 5મી ડિસેમ્બર 2023ના રોજ અમદાવાદથી ઉપદનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-MGR ચેન્નાઈ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ રદ રહેશે. 03 અને 4 ડિસેમ્બર 2023ના રોજ, MGR ચેન્નાઈ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન નંબર 12656 MGR ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપદનારી સુધીની ટ્રેન રદ રહેશે.