પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનોની અવરજવર શરૂ કરી હતી.
અમદાવાદથી રાજકોટ જતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના કારણે સુરેન્દ્રનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી વન-વે ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.
અમદાવાદથી રાજકોટ જતા માર્ગ પર સાયલા અને દોલિયા બોર્ડર વચ્ચે શાપર ગામ પાસે પુલ ધરાશાયી થતાં થોડીવાર માટે વાહન વ્યવહાર થંભી ગયો હતો.
ચોટીલાથી 16 કિલોમીટર પહેલા અમદાવાદથી રાજકોટ જતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ છે. નેશનલ હાઈવે નં. 47 પર વાહનોની અવરજવર પણ વધુ હોવાથી હાલ સમગ્ર હાઇવે 16 કિલોમીટર લાંબો જામ થઇ ગયો છે.
આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વાહનોની અવરજવર શરૂ કરી હતી.