ગદરની વાર્તા બ્રિટિશ આર્મીમાં શીખ ભૂતપૂર્વ સૈનિક બુટા સિંહના વાસ્તવિક જીવન પર આધારિત છે જેણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મા મોરચે સેવા આપી હતી. અહેવાલો અનુસાર, તેમણે ભાગલા સમયે કોમી રમખાણો દરમિયાન મુસ્લિમ છોકરી ઝૈનબને બચાવી હતી. બંને પ્રેમમાં પડ્યા અને લગ્ન કરી લીધા. બંનેને એક પુત્રી પણ હતી. જોકે બાદમાં ઝૈનબને પાકિસ્તાન મોકલી દેવામાં આવી હતી. બૂટા સિંહ તેની પત્નીને પરત લાવવા ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં ઘૂસ્યો હતો અને દરેક જગ્યાએ શોધખોળ શરૂ કરી હતી. જોકે, ત્યાં સુધીમાં ઝૈનબના પરિવારે તેના લગ્ન કોઈ અન્ય સાથે કરાવી દીધા હતા. જ્યારે તે તેની પત્નીના ઘરે પહોંચ્યો, ત્યારે ઝૈનબે ભારત જવાનો ઇનકાર કર્યો અને તેના પરિવારના દબાણને વશ થઈને આત્મહત્યા કરી, ત્યારબાદ બુટા ભાંગી પડ્યો અને તેણે ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરી. જણાવી દઈએ કે બુટાની કબર આજે પણ લાહોરના મિયાં સાહિબ કબ્રસ્તાનમાં મોજૂદ છે.