(GNS),04
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાની શારિરીક છેડતી કરવામાં આવી હતી અને ત્યારબાદ તેણી પર બળજબરીથી બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ સગીરાને આ અંગે કોઈને વાત કરશે તો બદનામ કરવાની ધમકી આપવામાં આવી હતી. જેથી સગીરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જેથી તેમના મૃતદેહને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો. જેમાં પીડિતા સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે મૃતક સગીરાની દાદીની ફરિયાદ લઈ આરોપી રોશન જાદવજીભાઈ દેવીપૂજકની ધરપકડ કરી હતી.
હાલ પોલીસમાંથી મળતી વિગત મુજબ હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા તેની દાદી સાથે રહેતી હતી, તેણીની એકલતાનો લાભ લઈ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. મૃતક સગીરાનો ભાઈ હોવાનું અને જતી વખતે આરોપીઓએ સગીરાને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી અંતિમ પગલું ભર્યું હતું. આથી પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મૃતક સગીરાની દાદીની ફરિયાદ લઈ તાત્કાલિક આરોપી રોશન જાદવજીભાઈ દેવીપૂજક (22)ની ધરપકડ કરી મોરબીની ખાસ પોક્સો કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કર્યો હતો.