આ કરૂણ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જાણવા મળ્યુ છે કે બાઇક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.
અરવલી:
રાજ્યમાં વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે. અરવલ્લીમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. ધનસુરાના આંબાસર પાસે બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
આ કરૂણ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. જાણવા મળ્યુ છે કે બાઇક સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
મૃતક દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજ સોલંકી આંબાસર ગામના હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.