અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
(GNS),તા.10
શિયાળાના આગમન સાથે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થાય છે. ત્યારે અરવલ્લીના ધનસુરાણા આંબાસર પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. બાઇક અને ડમ્પર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. બાઇક અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં આંબાસર (મહાદેવપુરા)માં રહેતા યુવકનું મોત થયું છે. દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી નામના યુવકોના મોત થયા છે. ત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા જૂથ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. યુવકના મોતથી સમગ્ર આંબાસર ગામમાં શોકનો માહોલ છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પરનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.