ગાંધીનગર છેલ્લી તા. મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની યોજના અંગે 22 સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. જેમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના વ્યાજબી ભાવ તેમજ આર્થિક સુરક્ષા મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખરીફ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કર્યું છે.