ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે રાજ્યભરમાં 17મી સપ્ટેમ્બરે TAT HSની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા તંત્ર તકેદારી રાખી રહ્યું છે.
વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ સાહિત્ય, ચાર્ટ, વિદ્યુત સાધનો વગેરે લઈ જઈ શકશે નહીં. આ નિયમોનો ભંગ કરનાર પરીક્ષા સાથે સંકળાયેલા ઉમેદવારો કે કર્મચારીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
અમદાવાદ: રાજ્યભરમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે 17 સપ્ટેમ્બરે ટેટ એચએસની પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે પરીક્ષાને લઈને કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા તંત્ર તકેદારી લઈ રહ્યું છે. ઉપરાંત, પરીક્ષા દિવસમાં બે વખત યોજાવાની હોવાથી ઉમેદવારો માટે તેનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે.
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે TAT-2ની મુખ્ય પરીક્ષા લેવામાં આવે છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 15 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. જેમાં અમદાવાદ શહેરની 55 જેટલી બિલ્ડીંગોમાં 10 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના છે. અમદાવાદ ગ્રામ્યના પરીક્ષા કેન્દ્રોની વાત કરીએ તો કુલ 31 પરીક્ષા કેન્દ્રો પર 5 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. જેમાં ભાષાનું પેપર સવારે 10.30 થી 1 વાગ્યા સુધી અને કોઈપણ વિષયનું પેપર બપોરે 3 થી 6 દરમિયાન લેવામાં આવશે.
પરીક્ષા કેન્દ્રો પર કલેક્ટર તંત્ર દ્વારા વર્ગ-1 અને 2ના અધિકારીઓની નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીનગરની ચેકિંગ સ્કવોડ દ્વારા પરીક્ષા કેન્દ્રો પર પણ 24 કલાક ચેકિંગ કરવામાં આવશે. સાથે જ આ ટાટ પરીક્ષા માટે પણ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જે અંતર્ગત પરીક્ષા કેન્દ્રની નજીક કલમ 144 લાગુ કરવામાં આવી છે. ઉપરાંત, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. ઉપરાંત, વેપારીઓએ પરીક્ષા કેન્દ્ર પાસે ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરવાની રહેશે નહીં. પરીક્ષા સાથે સંકળાયેલા કર્મચારીઓએ તેમનું આઈડી કાર્ડ લાવવાનું રહેશે.
વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ સાહિત્ય, ચાર્ટ, વિદ્યુત સાધનો વગેરે લઈ જઈ શકશે નહીં. આ નિયમોનો ભંગ કરનાર પરીક્ષા સાથે સંકળાયેલા ઉમેદવારો કે કર્મચારીઓ સામે કડક કાર્યવાહીનો આદેશ પણ આપવામાં આવ્યો છે.