પાલનપુર આબુ રોડ નેશનલ હાઇવે પર ઇકબાલગઢ પાસે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા વાહને ટક્કર માર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામા રાહદારી રોડ પર પડી જતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો સતત બની રહ્યા છે. એક પછી એક લોકો અકસ્માતના કારણે જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે પાલનપુર આબુ રોડ હાઇવે પર ઇકબાલગઢ ગામના ઝાંઝરવા પાટીયા પાસે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પાલનપુર તરફથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે યુવાનને ટક્કર મારી નીચે પછાડી દીધી હતી. જેથી રોડ પર યુવાન સાથે અથડાવાથી યુવાનને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો. ઘટના બાદ હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે રાખ્યો હતો અને અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતો સતત બની રહ્યા છે. એક પછી એક લોકો અકસ્માતના કારણે જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે પાલનપુર આબુ રોડ હાઇવે પર ઇકબાલગઢ ગામના ઝાંઝરવા પાટીયા પાસે એક રાહદારી રોડ ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પાલનપુર તરફથી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહનચાલકે યુવાનને ટક્કર મારી નીચે પછાડી દીધી હતી. જેથી રોડ પર યુવાન સાથે અથડાવાથી યુવાનને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. યુવકને ટક્કર મારીને વાહન ચાલક ભાગી ગયો હતો. ઘટના બાદ હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસે તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે રાખ્યો હતો અને અજાણ્યા વાહનના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.