બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢમાં મામલતદાર અને પીઆઈ ધવલ પટેલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઈકબાલગઢના દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં જાતિ, ધર્મ, કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય અંગે વિચાર-વિમર્શ કરવા મામલતદાર વી.જી.રાવલ અને અમીરગઢ પીઆઈ ધવલ પટેલે તાલુકાના વેપારી હબ ઈકબાલગઢ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં ઇકબાલગઢ સહિત આજુબાજુના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર અને પીઆઈ દ્વારા તહેવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને લોકોમાં ભાઈચારો અને કાયદો અને વ્યવસ્થા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમીરગઢ પીઆઈ ધવલ પટેલે લોકોને તેમની સમસ્યાઓ પોલીસ સમક્ષ મૂકવાની ખાતરી આપી હતી અને આવેદનપત્રનો સત્વરે નિરાકરણ કરવામાં આવશે.