સાબરકાંઠા જિલ્લાના ઈડરના લાલોડામાં બકરી ચોરીની ઘટના બની હતી. જ્યારે ખેડબ્રહ્માના રાધીવાડ અને કાંઠાપુર પાસે બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત થયા હતા. આ ત્રણેય બનાવ અંગે ઇડર અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઇડર તાલુકાના લાલોડા ગામ પાસે આવેલા રબારીવાસમાં લીલાભાઇ લીંબાભાઇ રબારીએ 57 નાના-મોટા બકરાને બકરાના ઘેરામાં રાખ્યા હતા. ત્યારબાદ 15 નવેમ્બરની રાત્રે કોઈ અજાણ્યો ચોર ઈસમ વાડામાંથી રૂ.1,90,000ની કિંમતના 19 જીવતા બકરાની ચોરી કરી ગયો હતો. આ ચોરીના બનાવ સંદર્ભે ભરવાડ લીલાભાઈ લીંબાભાઈ રબારીએ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ખેડબ્રહ્માના રાધિયાવાડ નજીક 16 નવેમ્બરના રોજ સવારે 30 વર્ષીય માનસિક વિકલાંગ યુવક રાધિયાવાડથી અંબાજી જવાના હાઈવે પર રોડની સાઈડ પર જઈ રહ્યો હતો. ગંભીર ઇજાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સંદર્ભે જયંતિભાઈ રામભાઈ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
ખેડબ્રહ્માના રાધિયાવાડ નજીક 16 નવેમ્બરના રોજ સવારે 30 વર્ષીય માનસિક વિકલાંગ યુવક રાધિયાવાડથી અંબાજી જવાના હાઈવે પર રોડની સાઈડ પર જઈ રહ્યો હતો. ગંભીર ઇજાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સંદર્ભે જયંતિભાઈ રામભાઈ સોલંકીએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.