થરાદ-ડીસા હાઈવે પર ગઈકાલે એક વેપારી અને તેના પરિવારના સભ્યોના અકસ્માતે મોત નિપજતા ઊંઝા ગંજ બજારના વેપારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમજ વિસનગર રોડના વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો.
ઊંઝા નગરમાં રહેતા અને ગંજબજારમાં કેશર ભવાની અને વિસનગર રોડ પર ભગવતી હોટલ ધરાવતા મૂળ વાવ તાલુકાના ડભાલિયા ગામના ભુરાભાઈ જોષી ગઈકાલે તેમના પરિવાર સાથે વતન જવા નીકળ્યા હતા. ડેરીન ડેપર અને કાર વચ્ચે અથડાતા વેપારી ભુરાભાઈ જોષી, પત્ની કાકીબેન જોષી, પુત્ર નિતેશ અને પુત્રવધૂ ભગવતીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ઊંઝા શહેરમાં રહેતા લોકો શોકમાં ગરકાવ છે. આજે ઊંઝા ગંજ બજારના વેપારીઓએ સવારે કામકાજ પહેલા બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમજ વિસનગર રોડ પરના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.
ઊંઝા નગરમાં રહેતા અને ગંજબજારમાં કેશર ભવાની અને વિસનગર રોડ પર ભગવતી હોટલ ધરાવતા મૂળ વાવ તાલુકાના ડભાલિયા ગામના ભુરાભાઈ જોષી ગઈકાલે તેમના પરિવાર સાથે વતન જવા નીકળ્યા હતા. ડેરીન ડેપર અને કાર વચ્ચે અથડાતા વેપારી ભુરાભાઈ જોષી, પત્ની કાકીબેન જોષી, પુત્ર નિતેશ અને પુત્રવધૂ ભગવતીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના ઊંઝા શહેરમાં રહેતા લોકો શોકમાં ગરકાવ છે. આજે ઊંઝા ગંજ બજારના વેપારીઓએ સવારે કામકાજ પહેલા બે મિનિટનું મૌન પાળ્યું હતું. તેમજ વિસનગર રોડ પરના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પી હતી.