ઉત્તરપ્રદેશ,
ઉત્તરપ્રદેશની હાથરસ લોકસભા સીટથી સાંસદ રાજવીર દિલેરનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે. અલીગઢના વરુણ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમનું નિધન થઈ ગયું છે. 2019માં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને તેઓ જીત્યા હતા. જો કે આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ આપી નથી. તેમના નિધનના સમાચાર મળતા પાર્ટી, પરિવાર અને સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. કહેવાય છે કે, સાંસદ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક તબિયત ખરાબ થતાં બેભાન થઈ ગયા હતા. આ જોઈને ત્યાં હાજર લોકોએ તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈને ગયા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. હાથરસના પાર્ટીના તે સાંસદ હતા, ગત લોકસભા ચૂંટણીમાં રેકોર્ડ જીત નોંધાવનારા સાંસદોમાં તેમનું નામ સામેલ હતું. તેણે અઢી લાખ કરતા પણ વધારે મતોથી જીત મેળવી હતી. જો કે, આ વખતે પાર્ટીએ તેમની ટિકિટ આપી નહોતી. તેમની જગ્યાએ રાજ્યમંત્રી અનૂપ વાલ્મિકીને ટિકિટ આપી છે.