ઇંટના ભઠ્ઠા અને આસપાસના વિસ્તારોમાં નોંધાયા કેસ, ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે
(GNS),તા.31
ગાંધીનગર,
ગાંધીનગરના ઉવારસદમાં કોલેરાના વધતા જતા કેસોથી તંત્ર એલર્ટ થયું છે. જિલ્લા કલેક્ટરે ઉવરસાદ અને તેની આસપાસના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. ઈંટોના ભઠ્ઠા અને આસપાસના વિસ્તારોમાં કેસ નોંધાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.ગાંધીનગર કલેકટરે ઉવરસાદ અને તેની આસપાસના બે કિમી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડીને ખળભળાટ મચાવ્યો છે. ઉવરસાદ ગામે એક યુવાનને ઝાડા-ઉલ્ટી થતાં સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. સારવાર બાદ પણ તેની તબિયતમાં સુધારો ન થતાં તેના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ આવ્યા બાદ કિશોરીને કોલેરા થયો હોવાનું જાણવા મળતાં આરોગ્ય વિભાગે તાત્કાલિક યુવકની સારવાર શરૂ કરી હતી. આ ઘટના બાદ જિલ્લા કલેક્ટરે ઉવરસાદ અને કર્ણાવતી યુનિવર્સિટીના બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરતું જાહેરનામું બહાર પાડ્યું હતું.