ઊંઝા તાલુકાના કરલી ગામે આજે 15મી ઓગસ્ટ નિમિત્તે એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશની આઝાદી દરમિયાન લડત આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવામાં આવ્યા હતા. જેમણે દેશ માટે શહીદ થયેલા શહીદોને યાદ કર્યા હતા. તેમજ 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઊંઝા તાલુકાના મામલતદાર કિંજલબેન, પ્રમુખ સીતાબેન પટેલ, ઊંઝા તાલુકા વિકાસ અધિકારી ડો.ભાર્ગવી વ્યાસ, ઊંઝા તાલુકાના સભ્યો અને કરલી ગામના સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. 15મી ઓગસ્ટ નિમિત્તે ઊંઝાના મામલતદાર કિંજલબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેમજ ઊંઝા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં P.S.I. પ્રસાદ, જીઆરડી સ્ટાફ, પોલીસ કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત આવેલા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.ઊંઝા તાલુકાના ભુણાવ ગામે પણ 15મી ઓગસ્ટની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઊંઝા તાલુકા સદસ્ય ભાવનાબેન ઠાકોર, ભુણાવ ગ્રામ પંચાયતના સરપંચે ધ્વજ ફરકાવ્યો હતો. આ ઉત્સવમાં સ્થાનિક લોકો અને ભુણાવ ગામના શિક્ષકો અને વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમે સ્વતંત્રતા સેનાનીઓના બલિદાનને યાદ કરીએ છીએ અને બહાદુર શહીદોને નમન કરીએ છીએ. જેના સન્માનમાં આખો દેશ એક રંગમાં રંગાયેલો છે. દેશના ખૂણે ખૂણે આઝાદીના મહાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દરેક ગલીમાં ત્રિરંગા લહેરાતા હોય છે. આપણું ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયું. ભારતે આ વર્ષે એટલે કે 2023માં આઝાદીના 76 વર્ષ પૂર્ણ કર્યા છે. આ વર્ષ 2023 77મો સ્વતંત્રતા દિવસ છે. નોંધપાત્ર રીતે, દર વર્ષે સ્વતંત્રતા દિવસની અલગ થીમ હોય છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસની થીમ ‘નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ’ છે. આ વર્ષે આ થીમ પર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતના વડાપ્રધાને દિલ્હીના લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો હતો. પીએમ મોદીએ તિરંગો ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 15 ઓગસ્ટ નિમિત્તે દેશની વિવિધ સરકારી ઈમારતોને તિરંગાની રોશનીથી રંગવામાં આવી છે. તેની ઝલક હવે વિદેશમાં પણ જોઈ શકાશે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને 15 ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ, રાષ્ટ્રપતિ રાષ્ટ્રને સંબોધિત કરે છે.