કંથરાવી ગામના ડોડીવાસમાં રહેતા ભાવેશકુમાર દ્વારકાદાસ પટેલ શુક્રવારે રાત્રે 9.30 વાગ્યાના સુમારે તેના પિતા અને ગામના યુવક બાબરજી ઠાકોરને ઘરેથી કોઈ કામ અર્થે દાવડા ગામે જવા નીકળ્યા હતા. રસ્તામાં નવાપુરા રોડ સ્થિત જોગણી માતાજીના મંદિરની સાઇડમાં પહોંચતા જ પૂરપાટ ઝડપે અને બેદરકાર વાહને બાઇકને રોડની સાઈડમાં ઉભુ કરી દીધું હતું. જોકે, પીકઅપ ડાલાના ચાલકે બેદરકારીપૂર્વક બાઇકને ટક્કર મારી નાસી જવામાં સફળ રહ્યો હતો. અકસ્માતમાં બાઇક પડી જતાં ત્રણેયને ઇજા થઇ હતી.
ઘટનાની જાણ થતા તેમના સંબંધીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જેમાં જવાનજી બાબરજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ભાવેશકુમાર પટેલે અકસ્માત સર્જનાર અને એકનું મોત નિપજનાર પીકઅપ ડાલાના અજાણ્યા ચાલક સામે આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.