પાટણ શહેરનું સિદ્ધિ સરોવર બની રહ્યું છે સુસાઈડ પોઈન્ટ, અહીં જીવ ગુમાવનારા લોકો મોતની છલાંગ લગાવીને આત્મહત્યા કરી રહ્યા છે. ત્યારે બુધવારે પણ અગમ્ય કારણોસર એક વ્યક્તિએ સિદ્ધિ તળાવમાં ઝંપલાવીને જીવનનો અંત આણ્યો હતો.
આ કેસની હકીકત મુજબ પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં એક વ્યક્તિએ અગમ્ય કારણોસર ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની બાતમી પાલિકાના ફાયર વિભાગને મળી હતી. તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરનાર લોકોની શોધખોળ કરીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.