સીએમ ભૂપેન્દ્ર પટેલે બૈપરજોય વાવાઝોડાને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જે બાદ રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હજુ પણ આ વિસ્તારમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. એક લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા હતા. 1137 વૃક્ષો પડી ગયા છે અને 263 રસ્તાઓ બંધ છે. જ્યારે ત્રણ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે.