કડી-જોટાણા રોડ પર આવેલ નગરાસણ ગામ પાસે નર્મદા કેનાલ પરનો પુલ જર્જરિત બની ગયો હતો, જેથી નવ માસ પહેલા પુલને સમારકામ અર્થે બંધ કરી દેવામાં આવ્યો હતો. 11 માસમાં કામ પૂર્ણ થવામાં માત્ર બે મહિનાનો સમય બાકી રહ્યો છે તેમ છતાં કામ અટકી જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના વતન નગરાસણ પાસે આવેલ નર્મદા કેનાલનો પુલ જર્જરિત થઈ જતાં નર્મદા વિભાગે તેને બંધ કરીને ડાયવર્ટ કરી દીધો છે. લોકોના આવેદનપત્ર બાદ નર્મદા વિભાગે ધારાસભ્યના હસ્તે સમારકામનો પ્રારંભ કરાવ્યો હતો જેનું કામ 11 મહિનામાં પૂર્ણ કરવાનું હતું. આ મુદત માટે માત્ર 2 મહિના બાકી છે, પરંતુ કાર્યસ્થળના અભાવે સમય મર્યાદામાં કામ પૂર્ણ થઈ રહ્યું નથી.