કુદરતી ખેતી સેમિનારમાં કુદરતી ખેતીના અનુભવો વર્ણવતા નાનાવાડાના ખેડૂતો.
(GNS),તા.15
ગીર-સોમનાથ,
ગીર-સોમનાથ જિલ્લામાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આયોજિત પ્રાકૃતિક ખેતી પરિસંવાદમાં કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની રહેવાસી અને કુદરતી ખેતી કરતી કાજલબેન વાળાએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
કાજલબેન વાળાએ જણાવ્યું હતું કે, હું ચાર વર્ષથી ત્રણ એકર જમીનમાં ગાય આધારિત શાકભાજી, ઘઉં અને કઠોળની કુદરતી ખેતી કરું છું. વર્ષ 2019 માં, મેં આત્મા દ્વારા આયોજિત શિબિરમાં ભાગ લીધો હતો અને કુદરતી ખેતી અંગેની તાલીમ પણ મેળવી હતી. મારા પાકમાં કુદરતી ખેતી અપનાવવાથી પહેલા જ વર્ષે ખેતીનો ખર્ચ 50% ઓછો થયો અને મારી જમીનની ફળદ્રુપતા પણ વધી. આજે હું મારી ખેત પેદાશોનું વેચાણ FPO દ્વારા તેમજ જાહેરાતો દ્વારા કરું છું. જેના કારણે ખેતપેદાશોના ભાવ ઉંચા મળે છે. આ ઉપરાંત તેમણે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરીને જમીનને બંજર બનતી અટકાવવા અને પર્યાવરણ અને લોકોના આરોગ્યનું રક્ષણ કરવા અનુરોધ કર્યો હતો.