શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ ગણાતા માતા જગતજન અંબાની નગરી અંબાજી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે દરરોજ હજારો ભક્તો માતા અંબાના દર્શન કરવા આવે છે. માતા અંબાના ચરણોમાં નમન કરીને ધન્ય બને છે. માતાજીના આશીર્વાદ લેવા માટે દેશ-વિદેશના નેતાઓ અને કલાકારો પણ શક્તિપીઠ અંબાજી આવે છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા શક્તિપીઠ અંબાજી પહોંચ્યા હતા.
આજે સવારે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા માતા અંબાના આશીર્વાદ લેવા અંબાજી મંદિર પહોંચ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ કેન્દ્રીય કૃષિ મંત્રીએ કોંગ્રેસ પર જોરદાર ગર્જના કરી હતી. કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું કે હાલમાં યોજાયેલી 5 રાજ્યોની ચૂંટણીમાં ભાજપની જીત એ લોકોના આશીર્વાદ છે અને કોંગ્રેસના નેતાના ઘરે પૈસા મળવા એ પાપનું અજવાળું છે.કેન્દ્રીય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે સવારે અંબાજી મંદિરે આવ્યા હતા. . ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા માટે કેન્દ્રીય મંત્રી આજે અંબાજી આવ્યા છે. કાર્યક્રમ પહેલા મંત્રીએ અંબાજી મંદિરની મુલાકાત લીધી હતી. દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરમાં સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રીએ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.