આ જોડાણનો ઉદ્દેશ ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો અને પરંપરાગત માછીમારો, મત્સ્ય ખેડૂતો ઉત્પાદક સંસ્થા, મત્સ્યપાલન ક્ષેત્રનાં ઉદ્યોગસાહસિકો સહિત તમામ હિતધારકોને ઇ-માર્કેટ પ્લેસ મારફતે તેમનાં ઉત્પાદનોની ખરીદી અને વેચાણ કરવા સક્ષમ બનાવવાનો છે
(જી.એન.એસ),તા.૧૯
નવીદિલ્હી,
મત્સ્યપાલન વિભાગે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) સાથે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગન, સચિવ (મત્સ્યપાલન) ડૉ. અભિલાક્ષ લિખી, સંયુક્ત સચિવ (આંતરિક મત્સ્યપાલન) ડૉ. અભિલાક્ષ લિખી, સંયુક્ત સચિવ (આંતરિક મત્સ્યપાલન), શ્રી સાગર મહેરા, ઓએનડીસીના એમડી શ્રી ટી. કોશી અને અન્ય આદરણીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે નવી દિલ્હી ખાતે સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રી પરષોત્તમ રૂપાલાએ “ફ્રોમ કેચ ટુ કોમર્સ, વધતું માર્કેટ એક્સેસ થ્રૂ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન” પુસ્તિકાનું વિમોચન પણ કર્યું હતું.
ઓએનડીસી સાથે મત્સ્યપાલન વિભાગનાં જોડાણનો ઉદ્દેશ ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો અને પરંપરાગત માછીમારો, મત્સ્ય ખેડૂતો ઉત્પાદક સંસ્થા, મત્સ્યપાલન ક્ષેત્રનાં ઉદ્યોગસાહસિકો સહિત તમામ હિતધારકોને ઇ-માર્કેટ પ્લેસ મારફતે તેમનાં ઉત્પાદનોની ખરીદી અને વેચાણ કરવા સક્ષમ બનાવવાનો છે. ઓએનડીસી એ ઇ-માર્કેટિંગનું એક વિશિષ્ટ પ્લેટફોર્મ છે, જે માછીમારો, મત્સ્ય ખેડૂતો, એફએફપીઓ, સ્વ-સહાય જૂથો અને અન્ય માછીમારોની સહકારી સંસ્થાઓને માળખાગત રીતે જોડીને મત્સ્યપાલન ક્ષેત્રમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ એફએફપીઓના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી, જેમણે ઓએનડીસી પ્લેટફોર્મ પર ઓનબોર્ડ પર આવતા પહેલા અને પછીના તેમના અનુભવો શેર કર્યા હતા. વધુમાં, એફએફપીઓએ જીવંત માછલી પરિવહન એકમના વિકાસ જેવી તેમની સફળતાની ગાથાઓ વિશે પણ જણાવ્યું હતું. શ્રી રૂપાલાએ એફએફપીઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં મત્સ્ય ઉત્પાદનોની પ્રક્રિયામાં વધુ ઓટોમેશન અપનાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
શ્રી પરષોત્તમ રૂપાલાએ એમઓયુ પર હસ્તાક્ષર સમારંભ દરમિયાન માછીમારો અને એફએફપીઓ સાથે આદાનપ્રદાન કરતી વખતે વેલ્યુ ચેઇન અને ફિશ પ્રોસેસિંગ એકમોમાં ઓટોમેશનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માહિતી આપી હતી કે, ઓએનડીસી સાથે મત્સ્યપાલન વિભાગનું આ જોડાણ આ પડકારોનું સમાધાન કરવાની સાથે સાથે ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રમાં ડિજિટલ કોમર્સની સંભવિતતાને ખોલવા માટે પણ પ્રેરિત કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ જોડાણથી મત્સ્યપાલન ઉદ્યોગ માટે અસંખ્ય લાભ થશે, જેમ કે વ્યવહારનો ખર્ચ ઘટશે, બજારની પહોંચમાં વધારો થશે, પારદર્શકતા વધશે, સ્પર્ધા અને સ્પર્ધાત્મકતામાં વધારો થશે, નવીનતા આવશે અને રોજગારીનું સર્જન થશે. વધુમાં તેમણે પરંપરાગત માછીમારો, એફએફપીઓ અને અન્ય હિતધારકોને ઇ-માર્કેટ મારફતે માછલી અને માછલીના ઉત્પાદનોની ખરીદી અને વેચાણ માટે ડિજિટલ પ્લેટફોર્મ પ્રદાન કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે, આ ડિજિટલ ઇન્ડિયા પહેલની પરિપૂર્ણતા માટે ડીઓએફ અને ઓએનડીસી વચ્ચે થયેલા ઐતિહાસિક સમજૂતીકરાર (એમઓયુ) છે.
ડૉ. એલ મુરુગને જણાવ્યું હતું કે ઓએનડીસી સાથે મત્સ્યપાલન વિભાગનું જોડાણ ક્રાંતિ લાવવા માટે એક અભૂતપૂર્વ પહેલ હશે અને આ પહેલ મૂલ્યવર્ધિત મત્સ્યપાલન સંબંધિત ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે એક મંચ પણ પ્રદાન કરશે, જે ઉત્પાદકોને ઊંચા માર્જિન મેળવવા અને તેમની પ્રોડક્ટ ઓફરમાં વિવિધતા લાવવાની મંજૂરી આપશે. તેમણે સ્થાનિક માછલીનો વપરાશ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને માછલીનાં ઉત્પાદનોની ખરીદી અને વેચાણ માટે ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ પરંપરાગત માછીમારો, એફએફપીઓને જોડવાની ડીઓએફની આ પહેલ સ્થાનિક માછલીના વપરાશને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.