પરંપરાને અનુસરીને કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સરકારે તમામ પક્ષોને મંગળવારે સવારે 11.30 વાગ્યે આ ચર્ચામાં ભાગ લેવાની અપીલ કરી છે. નોંધનીય છે કે પીએમ મોદીના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ છે. જેમાં સરકાર આગામી નાણાકીય વર્ષ માટે પોતાનો એજન્ડા રજૂ કરશે. આ સિવાય સરકાર રાજકીય પક્ષોને તેના મુદ્દાઓની માહિતી પણ આપશે.નોંધનીય છે કે આ વખતે સરકારનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી બાદ નવી સરકારના નાણામંત્રી સંપૂર્ણ બજેટ રજૂ કરે છે.