સિદ્ધપુર તાલુકાના કુંવારા ગામે રૂ.3.5 કરોડના ખર્ચે કુંવારાથી ધનપુરા ગામને જોડતા 3.8 કિમી લાંબા રોડનો શિલાન્યાસ કેબિનેટ મંત્રી અને સિદ્ધપુર વિભાગના સભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રોડ બનવાથી વિસ્તારના નાગરિકોને વાહનવ્યવહારની વ્યવસ્થા વધુ સુવિધાજનક બનશે.
મુહૂર્ત પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જસુભાઈ પટેલ, શંભુભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, દિલીપસિંહ ઠાકોર, અશ્વિનભાઈ પટેલ, ચદ્રીકાબેન, રાગીનીબેન, શ્રી મનીષભાઈ પ્રજાપતિ, અભુજી ઠાકોર, ભાનુમતીબેન મકવાણા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ધનપુરા ગામને જોડે છે. જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.