ગૌચર/લોહાઘાટ (ઉત્તરાખંડ): 12 એપ્રિલ (A) કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે શુક્રવારે દાવો કર્યો હતો કે કોંગ્રેસ થોડા વર્ષોમાં ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે.
સિંહે કોંગ્રેસની અંદર ચાલી રહેલા આંતરકલહની સરખામણી ટેલિવિઝન રિયાલિટી શો ‘બિગ બોસ’ સાથે કરી હતી.તેમણે કહ્યું હતું કે, “નેતાઓ સતત કોંગ્રેસમાંથી બહાર નીકળી રહ્યા છે. એક પછી એક નેતા પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. મને ડર છે કે હવેથી થોડા વર્ષોમાં કોંગ્રેસ ડાયનાસોરની જેમ લુપ્ત થઈ જશે.