અમદાવાદમાં હાલમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, મનપાનુ આરોગ્ય વિભાગ સક્રિય
(GNS),તા.26
અમદાવાદ
ચીનનો જીવલેણ કોરોના વાયરસ ગુજરાતમાં પહોંચી ગયો છે. ભારતના 6 રાજ્યોમાં કોરોના ફેલાયો છે. ત્યારે ગુજરાત પણ તેમાં અપવાદ નથી. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળાને પગલે કોરોના માટે ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના વાયરસના સક્રિય કેસની બાબતમાં ગુજરાત દેશમાં પાંચમા ક્રમે છે. છેલ્લા કેટલાક કલાકોમાં દેશભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી સંક્રમિત ત્રણ દર્દીઓના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન કુલ 116 નવા કેસ નોંધાયા છે. હવે સક્રિય કેસની સંખ્યા વધીને 4170 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 293 સંક્રમિત દર્દીઓ સંક્રમિત થયા છે. પરંતુ નવા JN.1 વેરિઅન્ટના સક્રિય કેસ 63 પર પહોંચી ગયા છે. જેએન.1 વેરિઅન્ટના કારણે 3 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના 50 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોનાના સક્રિય કેસ 4 હજારને વટાવી ગયા છે. હાલમાં, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસ મળી આવ્યા છે.
આમ, ભારતમાં ફરીથી કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મનપાનુ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. શહેરના આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ટેસ્ટિંગ માટે ઓર્ડર જારી કરવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રમાં શંકાસ્પદ દર્દીઓની ઝડપી તપાસ શરૂ કરવામાં આવી છે. હાલમાં અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ નોંધાયા છે. શરદી, ઉધરસ અને તાવના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકા દ્વારા તમામ આરોગ્ય કેન્દ્રોમાં કોરોના ટેસ્ટીંગ કીટનો જથ્થો આપવામાં આવશે. જરૂર પડશે તો RT PCR ટેસ્ટ પણ શરૂ કરવામાં આવશે. ચીનમાં કોરોનાના નવા પ્રકારો ફેલાયા છે. ચીનમાં કોરોનાના 1,18,000 થી વધુ સક્રિય કેસ છે. 7557 દર્દીઓની હાલત અત્યંત ગંભીર છે. હાલમાં સ્થિતિ એવી છે કે ચીનમાં સ્મશાન 24 કલાક પૂરજોશમાં ચાલે છે. બ્રિટનમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. કોરોનાનું નવું સ્વરૂપ ભારતમાં 6 રાજ્યોમાં ફેલાયું છે.