(GNS),તા.19
ગાંધીનગર,
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહાનગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમના 9મા તબક્કાનું આયોજન વોર્ડ નંબર 10માં આવેલા સેક્ટર-6ના સંત રોહિદાસ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જીએમસી મેયર શ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભો સાથે ડાયાબિટીસ અને આયુર્વેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયરે જણાવ્યું હતું કે છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે મહાનગરપાલિકા પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમમાં કાઉન્સિલરો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.