(GNS),તા.18
ગાંધીનગર,
ટીબીથી પીડિત યુવકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના સાતમા માળેથી મોતની છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો.જેની જાણ થતા સેક્ટર 7 પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે. યુવકે વહેલી સવારે સાતમા માળેથી મોતની છલાંગ લગાવી હતી.પોલીસે સમગ્ર ઘટના સંદર્ભે ટીબી વોર્ડના કર્મચારીઓની પણ પૂછપરછ શરૂ કરી છે. પીયજ ગામના 20 વર્ષીય રાહુલ ઈશ્વરજી ઠાકોરને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના ટીબી વોર્ડમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. કેટલાક વોર્ડ કર્મચારીઓએ તો આજે વહેલી સવારે રાહુલને જોયો હતો. આ દરમિયાન સાતમા માળેથી કોઈ પડવા લાગ્યું હોવાની જાણ થતાં કર્મચારીઓ નીચે દોડી આવ્યા હતા. ત્યારે ટીબીની સારવાર માટે દાખલ કરાયેલા રાહુલ ઠાકોરે મોતની છલાંગ લગાવી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બાદમાં ગંભીર રીતે ઘવાયેલા રાહુલને તાત્કાલિક ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સાતમા માળેથી પટકાયા બાદ રાહુલ લગભગ મૃત્યુ પામ્યો હતો.
આ ઘટનાને પગલે મૃતકના સ્વજનો પણ વહાલા દોડી આવ્યા હતા. જ્યારે વોર્ડમાં ફરજ પરના સ્ટાફે પણ ઉપરી અધિકારીને જાણ કરી હતી. બીજી તરફ ઘટનાની માહિતી મળતા સેક્ટર 7 પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અંગે પીએસઆઈ એ.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે, રાહુલ ઠાકોર ટીબીનો દર્દી હોવાનું જાણવા મળ્યું છે. જેમને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમણે આજે સવારે અમુક સમયે સાતમા માળેથી પડીને આપઘાત કરી લીધો હતો. હાલમાં આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આવેલી એચીવર સ્કૂલ પાસેના છાપરામાં રહેતા ધનજીભાઈ નામના ખેત મજૂરે પણ ચામડીના કારણે કંટાલીની નવી સિવિલ બિલ્ડીંગના સાતમા માળેથી પડીને આપઘાત કર્યો હતો. રોગ