બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ સરકારી વિનય કોલેજના 60 જેટલા વિદ્યાર્થીઓએ આજે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગાંધીનગર 2023 પ્રદર્શનની મુલાકાત લીધી હતી. કોલેજના વિદ્યાર્થીઓ સાથે કોલેજ સ્ટાફે પણ મહાત્મા મંદિર અને ગાંધીજીના કાર્યક્રમો ડીજીટલ માધ્યમથી નિહાળ્યા હતા.
અમીરગઢની સરકારી વિનય કોલેજ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઈનોવેશન ગાંધીનગર 2023 ના પ્રદર્શનને નિહાળવા કોલેજના 60 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ત્યારબાદ વિદ્યાર્થીઓ અને કોલેજના સ્ટાફ દ્વારા મહાત્મા મંદિર દાંડી કુટીર મ્યુઝિયમ, ગાંધીનગરની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જેમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગાંધીજીના જીવન પર પ્રકાશ પાડ્યો હતો. ડિજિટલ માધ્યમ દ્વારા અવલોકન કરવામાં આવે છે