નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન 28 મે, રવિવારે સવારે થવાનું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 27 અને 28 મેના રોજ દિલ્હી આવશે. તેઓ નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે પણ હાજર રહેશે.
વિપક્ષી દળો પર નિશાન સાધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે નવા સંસદ ભવનનો વિરોધ દેશના 140 કરોડ ભારતીયોનું અપમાન છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે કુલ 19 વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કર્યો તે નિંદનીય છે. અહેવાલ છે કે સંસદ ભવનનું લોકાર્પણ રવિવાર, 28 મે 2023 ના રોજ નક્કી કરવામાં આવ્યું છે. તેમનો વિરોધ દેશના મહાન લોકતાંત્રિક મૂલ્યો અને બંધારણીય માન્યતાઓ પર હુમલો છે. લોકશાહીમાં સંસદ એક પવિત્ર સંસ્થા છે. તે લોકોના હૃદયના ધબકારા સમાન છે. અહીં દેશની નીતિઓ પર નિર્ણય લેવામાં આવે છે. તે લોકોના જીવનમાં પરિવર્તન લાવે છે. છેલ્લા 9 વર્ષો પર નજર કરીએ તો વિપક્ષી દળોએ વારંવાર સંસદીય પ્રણાલી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
કોંગ્રેસ સહિત 20 વિરોધ પક્ષોએ ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિપક્ષનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને બાયપાસ કરીને ઉદ્ઘાટન કરવાનો વડાપ્રધાનનો નિર્ણય માત્ર ઘોર અપમાન જ નહીં પરંતુ લોકશાહી પર સીધો હુમલો પણ છે. આ સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં ભાજપ સહિત 25 પાર્ટીઓ ભાગ લેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. છેલ્લા કેટલાય દિવસોથી નવા સંસદ ભવનને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે બયાનબાજીનો તબક્કો ચાલી રહ્યો છે. દરમિયાન, આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેની સુનાવણી દરમિયાન આજે સુપ્રીમ કોર્ટે આ પીઆઈએલને ફગાવી દીધી હતી.