સપ્તાહની શરૂઆતમાં એટલે કે સોમવારે સૌરાષ્ટ્રના સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરત અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.
અમદાવાદઃ
ગુજરાતમાં બે દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. બદલાતા હવામાનની સાથે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો જાણો હવામાન વિભાગની આગાહી રાજ્યના કયા-કયા વિસ્તારોમાં પડશે વરસાદ.
હવામાન વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ સપ્તાહના પ્રારંભે સૌરાષ્ટ્રના સાબરકાંઠા, અરવલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને સુરત અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ સૌરાષ્ટ્રના અરવલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરત, છોટા ઉદેપુર અને નર્મદા અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓ અને દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં શુષ્ક હવામાનની આગાહી કરવામાં આવી છે.
આ માહિતી અનુસાર ગુજરાતના તમામ ભાગોમાં બુધવાર એટલે કે 6 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે રવિવારે સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો હતો. અરવલી, સાબરકાંઠા, વડોદરા બાદ અમદાવાદ શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વાદળો વચ્ચે હળવા વરસાદના સમાચાર છે.