તા. 31 માર્ચે, 34 કેન્દ્રો પર 1.37 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.
ધોરણ 10માં રાજ્યભરના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે અને ધોરણ 12 સામાન્ય-વિજ્ઞાન પ્રવાહમાં કુલ 56 ઝોનમાં 653 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.
તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ છે
PATA એપ્લીકેશન દ્વારા ઝોનલ ઓફિસથી પરીક્ષા સ્થળ સુધી અને પ્રશ્નપત્ર પરીક્ષા સ્થળ પર પરીક્ષા હોલ સુધી પહોંચે ત્યાં સુધી પ્રશ્નપત્રોના ટ્રેકિંગની વ્યવસ્થા.
જો પરીક્ષા સ્થળ પર પહોંચવાના માર્ગમાં કોઈપણ પ્રકારની સમસ્યા ઉભી થાય તો તમે 100 નંબર ડાયલ કરીને પોલીસની મદદ લઈ શકો છો.
વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન સમયસર પરીક્ષા સ્થળે પહોંચી શકે અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરત ફરી શકે તે માટે એસટીના વિશેષ રૂટની વ્યવસ્થા.
પરીક્ષાઓમાં ગેરરીતિના કિસ્સામાં, દોષિત વ્યક્તિને 3 વર્ષથી ઓછી નહીં પરંતુ 5 વર્ષ સુધીની કેદ અથવા રૂ.2,00,000/- સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
પ્રવક્તા મંત્રી શ્રી હૃષીકેશભાઈ પટેલ રાજ્યભરમાં પ્રથમ વખત પરીક્ષા આપનાર લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે.